Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સાધુ વાસવાણી રોડ ઉપર સોપાન પરિવાર દ્વારા ગણેશ મહોત્સવને વિરામ

 રાજકોટ : સાધુવાસવાણી રોડ ઉપર સોપાન હેરીટેઝ પરિવારે પોતાની સોસાયટીના પટાંગણમાંજ શ્રી ગણેશજીનું વિસર્જન કરી પ્રકૃતિ પ્રેમ દાખવ્યો હતો. સોપાન હેરીટેઝ પરિવાર દ્વારા શ્રી ગજાનનની સ્થાપના કરાઇ હતી ને અગીયાર દિવસ સુધી સવાર-સાંજ પુજા-અર્ચના મહાઆરતી ને દરરોજ રાત્રે ધાર્મિક કાર્યક્રમથી પુરી સોસાયટી ભકિતમય બની હતી જયારે અંતિમ દિને શ્રી ગણેશજીને ભાવતા ભોજન સમોમહાઅન્નકુટ ધરાયો હતો ને બપોરે ''વાજતે-ગાજતે અગલે બરસ તુ જલ્દી આ''ના નાદ સાથે ભારે હદયે સોસાયટીના તમામ પરિવારે પોતાની સોસાયટીના પટાંગણમાં જ વિસર્જન કરીને પર્યાવરણ પ્રેમ દાખવ્યો હતો.

(3:56 pm IST)