Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

'લાલબહાદુર ટાઉનશીપ કા રાજા'નું સોસાયટીમાં જ વિસર્જન

રાજકોટ : શહેરના માધાપર ચોકડીથી મોરબી રોડ ઉપરના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ફલેટ્સના રહેવાસીઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. ''લાલબહાદુર ટાઉનશીપ કા રાજા'' ગણેશ ઉત્સવમાં દરરોજ સવાર - સાંજ મહાઆરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થયા હતા. વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા શ્રીમતી ગાયત્રીબા વાઘેલા અને એડવોકેટ શ્રી અશોકસિંહ વાઘેલાએ પણ મહાઆરતીનો લાભ લીધો હતો. ગઈકાલે પૂજનવિધિ બાદ સોસાયટીમાં જ યાત્રા કાઢી ત્યાં જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ. આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી સંજયસિંહ, કિરીટભાઈ સિદ્ધપુરા, ભરતભાઈ સોની, જીતુભાઈ પિત્રોડા, મનોજભાઈ રાત્રોજા, જીજ્ઞેશભાઈ મહેતા વિ. રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)