Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કોર્પોરેશન દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા તા. ૨૧ સપ્ટે.ના રોજ ઉચ્છરંગરાય ઢેબરની ૧૧૩મી જન્મજયંતિ નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, આસીસ્ટન્ટ મેનેજર આશીષભાઇ ચોલેરા, વોર્ડ ઓફિસર આરતી નિમ્બાર્ક વિગેરે દ્વારા ઉચ્છરંગરાય ઢેબરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

(3:45 pm IST)