Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

યુવા ભાજપ દ્વારા કાલે કાર્યાલય ખાતે નરેન્દ્રભાઇનો 'મન કી બાત' કાર્યક્રમ

રાજકોટ,તા. ૨૪ : યુવા ભાજપ અગ્રણી પૃથ્વીસિહ વાળા, હીરેન રાવલ, તથા શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી કીશન ટીલવાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દર માસના અંતિમ રવીવારે નરેન્દ્રભાઈ મોદી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે.પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે. 'મન કી બાત' નું આકાશવાણી અને દુરદર્શન ના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના  અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યૂ–ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે કાલે તા.રપના રવિવારે સવારે ૧૧ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા 'મન કી બાત' કાર્યક્રમ યોજાશે. સૌએ જોડાઇ જવા યુવા ભાજપ અગ્રણી પૃથ્વીસિહ વાળા, હીરેન રાવલ, તથા શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી કીશન ટીલવાએ અનુરોધ કરેલ છે. 

(2:56 pm IST)