Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ભગવતીપરાના અબ્દુલના મોતથી ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી : પરિવારમાં માતમ

પવનને કારણે બેલેન્સ ગુમાવતાં હોર્ડિગ પરથી પટકાયો ને જીવ ગયો

રાજકોટ તા ૨૪  : શહેરના માર્કેટીંગ યાર્ડમાં પવનના કારણે બેલેન્સ ગુમાવતા હોર્ડિગ પરથી પટકાતા હોર્ડિગ માથે પડતાં મુસ્લીમ યુવાનનું મોત નિપજયું હતું.ે

મળતી વિગત મુજબ ભગવતી પરા શેરી નં.૯ માં રહેતા અબ્દુલભાઇ મજીદબીન હમુદભાઇ હફીયાત (ઉ.વ.૩૭) ગઇકાલે માર્કેટીંગ યાર્ડમાં હોર્ડિગસ લગાવતા હતા ત્યાર.ે ભારે પવનના કારણે હોર્ડિગ્સ પરથી બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા હોર્ડિગ્સ માથે પડતા તેને તાકીદે સારવાર માટે સિવિલ  હોસ્પિટલમાં ખસેડાયા હતા  ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક અબ્દુલમજીદબીન મજુરી કામ કરતા હતા, ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.

(3:22 pm IST)