Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

આર્થિક મુશ્કેલીને લીધે રૈયાધારના જયસુખભાઇ વાઘેલાએ ગેલેકસી સિનેમા સામે ઝેર પી લીધું

દવા પીધા બાદ ઓળખીતાને ફોન કરતાં તેમણે હોસ્પિટલમાં ખસેડ્યા

રાજકોટ તા. ૨૪: રૈયાધાર રામાપીર ચોક પ્રધાનમંત્રી આવાસ કવાર્ટરમાં રહેતાં જયસુખભાઇ ડુંગરભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢે સાંજે ગેલેકસી સિનેમા સામે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. જયસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે હાલમાં ગોંડલ રોડ પર ઇન્ટિરીયર ડિઝાઇનરની ઓફિસમાં નોકરી કરે છે. સાંજે જયસુખભાઇએ ઝેર પીધા બાદ તેમના ઓળખીતાને ફોન કરી છેલ્લી વાર મળવું છે, વાત કરવી છે તેમ કહેતાં ઓળખીતા અંકુરભાઇ ત્યાં પહોંચ્યા ત્યારે જયસુખભાઇએ વાંદા મારવાની દવા પી લીધાની ખબર પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરતાં હેડકોન્સ. વ્મિલેશભાઇ રાજપૂત અને ગોૈતમભાઇએ નિવેદન નોંધવા  તજવીજ કરી હતી. જયસુખભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અગાઉ સંતાનોના ભણતર માટે પૈસા લીધા હોઇ દેણું થઇ ગયું હતું. આ કારણે ટેન્શનમાં હોઇ લોન લેવા પ્રયાસ કરી રહ્યા હતાં. પરંતુ પૈસાની વ્યવસ્થા થતી ન હોઇ કંટાળીને પગલુ ભર્યાની શકયતા જણાવાઇ છે.

(1:15 pm IST)