Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દરગાહ પાસે ગાળો બોલવાની ના પાડતાં નાસીરભાઇ પર હુમલો

રામનાથપરામાં બનાવઃ સાજીદ-શાહરૂખે છરી-બેટના ઘા કર્યા

રાજકોટ તા. ૨૪: રામનાથપરા-૧૬માં રહેતાં અને ઇલેકટ્રોનિક ચીજવસ્તુના શો રૂમમાં નોકરી કરતાં નાસીરભાઇ સિદીભાઇ જૂણેજા (ઉ.૪૨)ને પડોશમાં જ રહેતાં સાજીદ જૂણેજા અને શાહરૂખે ઝઘડો કરી હાથ પર છરી ઝીંકી દઇ બેટથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં એ-ડિવીઝનને જાણ કરાઇ હતી.સામા પક્ષે સાજીદ હૈદરભાઇ જૂણેજા (ઉ.૨૨) પણ પોતાને નાસીરભાઇ, નદીમભાઇએ ધોકાથી માર માર્યાની રાવ સાથે સારવાર લીધી હતી. નાસીરભાઇના કહેવા મુજબ ઘર નજીક દરગાહ પાસે સાજીદ અને શાહરૂખ ગાળો બોલતાં હોઇ ત્યાંથી દૂર જવાનું કહેતાં હુમલો થયો હતો.

(3:48 pm IST)