Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સામા કાંઠે રિક્ષાની ઠોકરે ઘવાયેલા ભરવાડ પ્રોૈઢ મહેશભાઇ મામતોરાનું મોત

રાજકોટઃ સંત કબીર રોડ પર આર્યનગર પાસે હુડકો કવાર્ટરમાં રહેતાં મહેશભાઇ મામતોરા ૧૭મીએ સાંજે આઠેક વાગ્યે આર્યનગર રોડ પર માસુમ સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે રસ્તો ઓળંગવા જતાં એક રિક્ષાનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં મહેશભાઇ ફંગોળાઇ જતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. જેબલીયાએ મૃતકના પુત્ર ભરતભાઇ મામતોરાની ફરિયાદ પરથી રિક્ષાચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(11:55 am IST)