Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

કોઠારીયા સત્યમ પાર્કના સુથાર યુવાને લોકડાઉનથી કંટાળીને નહિ, વ્યાજખોરોથી ત્રાસીને આપઘાત કર્યો હતો : ત્રણ શખ્સો વિરૂધ્ધ મૃતકના ભાઇ અશ્વિનભાઇ મકવાણાની ફરીયાદ

રાજકોટ :કોઠારીયા સત્યમ પાર્કમાં રહેતા સુથાર યુવાન પ્રફુલભાઇ રામજીભાઇ મકવાણાએ ગત તા.ર૦-પના રોજ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હિન્દુસ્તાન લિફટ નામના કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જે તે વખતે લોકડાઉનનું પણ હવે વ્યાજખોરી થી કંટાળી આપઘાત કર્યાની બાબત સામે આવી છે.

આજી ડેમ પોલીસે મૃતકના ભાઇ અશ્વિનભાઇ રામજીભાઇ મકવાણાની ફરીયાદ પરથી ખોડીયારપરાના વિજયમીર, પંચશીલ સોસાયટીના ગોવિંદ સવજી સાવલીયા અને દિલીપ કાચા સામે આઇપીસી ૩૦૬, ૩૮૭, પ૦૬ (ર), ૧૧૪ મની લેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ ત્રણેય મૃતક પ્રફુલભાઇને ૧ લાખ ૧૦ ટકે, પ લાખ ૩ ટકે અને ૪ લાખ પ  ટકે વ્યાજે આપ્યા હતા. આ વ્યાજની ત્રણેય પઠાણી ઉઘરાણી કરતા હોવાથી પ્રફુલભાઇ મરી જવા મજબુર થયાનું ફરીયાદમાં જણાવાયું છે.

પી.આઇ.ચાવડા, પીએસઆઇ સી.એસ. પટેલ વધુ તપાસ કરે છે.

(1:14 pm IST)