Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

રાજકોટનાં જંગલેશ્વરમાં કોરોના કેડો મુકતો નથી : વધુ એક રિપોર્ટ પોઝિટિવ

25 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ: શહેરનાં કુલ કેસ 79 થયા

રાજકોટ: શહેરનાં અંકુર સોસાયટીનાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા આકિબભાઈ રહીમભાઈ પીપરવાડયા(ઉ.વ-25)અંકુર સોસાયટી, જંગલેશ્વરને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. શહેરમાં કુલ આંક 78એ પહોંચ્યો છે. 62 દર્દીઓ સાજા થયા છે. 

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજરોજ વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટ શહેરમાં આજરોજ સુધી કુલ ૭૯ કેસ નોંધાયેલ છે. જે પૈકી ૬૨ વ્યક્તિઓ સાજા થયેલ છે જ્યારે ૧૬ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે.

 

(10:35 am IST)