Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઘરે ઘરે નમાઝ પઢી ઈદ ઉલ ફિત્રની ઉજવણી

રાજકોટ,તા.૨૩: વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે ૨૩ શનિવારે સવારે ફઝરની નમાઝ બાદ ઈદ ઉલ ફિત્રની નમાઝ દરેકે પોત પોતાના ઘરે પઢેલ હતી.

પવિત્ર રમઝાન માસમા રોઝા, નમાઝ, ખેરના અમલો કરેલ તે માટે ખુદા તઆલાનો શુક્ર ગુજારીશ કરેલ હતો. આ કોરોના વાયરસની મહામારીમાથી જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને જે બીમારી છે તેને જલ્દીથી શીફા થઈ જાય તે માટે રોજે રોજ દુઆ કરેલ હતી.

 આજે ઈદનો દિવસ હોવાથી દરેક વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના ડો.આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ખાસ ફરમાન કરેલ છે કે સરકારશ્રીના આદેશોનું ચુસ્ત રીતે પાલન કરજો, લોકડાઉન તથા સોશીયલ ડીસ્ટન્સનું બરોબર પાલન કરજો. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાળા એ જણાવ્યું હતું.

(10:58 am IST)