Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રૈયાની જમીન પ્રશ્ને મહેશ પરમાર સહિત ૧૦ કુટુંબીજનો સામુહિક આત્મવિલોપન કરે તે પહેલા જ ધરપકડ કરતી પોલીસ

રાજકોટઃ બસપાના પુર્વ જીલ્લા પ્રમુખ અને સામાજીક કાર્યકર મહેશ પરમારે સોશયલ મીડીયામાં એવા મેસેઝીસ શેર કરી તેમાં કહયુ હતું કે, 'મારા પુર્વજોના વર્ષ ૧૯૬૬-૬૭ની કબ્જાવાળી જમીન રૈયા સર્વ નં. ૩૧૮ ખેતીની ચાલુ ખેતી હોવા છતા અનેક વખત કલેકટર પાસે માંગણી કરી ઓવા છતા અમોને આપેલ નથી હાલ રાજકોટની કોર્ટમાં કેસ પણ પેન્ડીંગ હોવા છતા આ જમીન સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્થાને આપેલ છે. તેઓએ અમારી જમીન ઉપર બળજબરીથી કબ્જો કરી લીધો છે. જો આ લોકો અમારી જમીન નહિ છોડે તો અમારા કુંટુબનાં ૨૦ સભ્યો સામુહિક આત્મ વિલોપન રૈયા ગામથી આગળ આવેલ પરશુરામ મંદિર પાસે સાંજે ૪ વાગ્યે કરીશુ'ઃ આ ચિમકી બાદ નવા રીંગરોડ પર તેઓ અને તેમના કુટુંબીજનો આત્મવિલોપન કરે તે પહેલા જ યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફે સ્થળ પર પહોંચી મહેશ પરમાર સહિત તેમના ૧૦ કુટુંબીજનોની અટકાયત કરી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:30 pm IST)