Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા સોમવારથી ત્રણ દિવસ વ્યવસાય સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય

શહેર તેમજ શાપર વેરાવળ, મેટોડા, આણંદપર, નવાગામના બુકીંગ બંધ રાખવા અપીલ

રાજકોટ તા. ૨૪ : હાલ કોરોના સંક્રમણ અને મૃત્યુના કેસ વધી જતા રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા સ્વયંભુ બંધ પાડવા સભ્યો સાથે વિચાર વિમર્શ કરવામાં આવેલ. જેના અંતે આગામી તા. ૩૬, ૨૭, ૨૮ (સોમવાર, મંગળવાર અને બુધવાર) એમ ત્રણ દિવસ સંપૂર્ણ બંધ પાડવા નિર્ણય લેવાયો હોવાનું એસો.ના પ્રમુખ હસુભાઇ ભગદેવ (મો.૯૩૭૭૩ ૫૬૮૦૧) અને મંત્રી પરમરાજસિંહ રાણા (મો.૯૧૭૩૩ ૭૭૭૯૯) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોના સ્વાસ્થ્યના હિતમાં આ નિર્ણય લેવાયો છે. આ સ્વયંભુ બંધ રાજકોટ શહેરી વિસ્તારમાં શાપર - વેરાવળ, મેટોડા, આનંદપર- નવાગામમાંથી ટ્રાન્સપોર્ટ બુકીંગ કરતા તમામ ટ્રાન્સપોર્ટ સભ્યોએ કામકાજ બંધ રાખી કોરોના વાઇરસ સંક્રમણની ચેઇન તોડવામાં સહયોગી બનવા એસો.ના આગેવાનોએ યાદીના અંતમાં નમ્ર અપીલ કરી છે.

(3:02 pm IST)