Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

કોરોના ઇફેકટઃ મુસાફરો ઘટતા રાજકોટ એસ.ટી. ડેપો સહિત ૯ ડેપોની ર૦૦ બસો રદ કરાઇ

ગોંડલ-મોરબી-કાલાવડ-લોધીકા-જામનગર-અમદાવાદની બસો કેન્સલ

રાજકોટ તા. ર૪ :.. કોરોના ભયાનક બન્યો છે, તેની અસર રાજકોટ એસ. ટી. ડીવીઝનને પહોંચી છે, આવકમાં તોતીંગ ગાબડુ છે, સ્થિતિ ખરાબ બની છે, ડેપોની માત્ર ર લાખ આવક થઇ રહી છે, ૮૦ ટકા ઘટી જતા કર્મચારીઓમાં ભારે નિરાશા છે.

દરમિયાન મુસાફરો સાવ ઘટી જતા આજે લાંબા-ટૂંકા અંતરની બસો રદ કરવા માંડી છે, આજે રાજકોટ ડેપો સહિત ૯ ડેપોની ર૦૦ બસો રદ કરી નખાઇ છે, ગોંડલ - મોરબી-કાલાવડ-લોધીકા-પડધરી, જામનગર-જુનાગઢ-અમદાવાદની બસો રદ કરી નખાઇ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(12:00 pm IST)