Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રૈયા રોડ શિવપરામાં પતિ સાથે ઝઘડો થતાં મુસ્લિમ મહિલાનો સળગીને આપઘાતઃ પતિ પણ દાઝી ગયો

બિસ્મીલ્લાબેન સુમરા (ઉ.૩૪)નું ઘટના સ્થળે જ મોતઃ પતિ લતીફ સુમરા સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: રૈયા રોડ પર શિવપરામાં રહેતી મુસ્લિમ મહિલાએ સવારે અગ્નિસ્નાન કરી લેતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઠારવા જતાં પતિ દાઝી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આપઘાત કરનારને તેના વતન આંધ્રપ્રદેશ જવું હોઇ તે બાબતે પતિ સાથે ચડભડ થતાં આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.

જાણવા મળ્યા મુજબ શિવપરા-૨માં રહેતી બિસ્મીલ્લાબેન લતીફ સુમરા (ઉ.૩૪)એ સવારે શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. ઠારવા જતાં પતિ લતિફ હુશેનભાઇ સુમરા (ઉ.૩૫) પણ દાઝી ગયો હતો. પત્નિ બિસ્મીલ્લાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પતિને હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી આરઝૂ છે. પતિ લતીફ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. બિસ્મીલ્લાબેનને માવતરે આંધ્રપ્રદેશ જવું હોઇ પતિએ હાલમાં જવાની ના પાડતાં રાત્રે બંને વચ્ચે ચડભડ થઇ હતી. આ કારણે માઠુ લાગી જતાં તેણીએ સવારે પગલુ ભરી લીધુ હતું. માસુમ દિકરી મા વિહોણી થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. (૧૪.૧૦)

(1:20 pm IST)