Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

શ્રી સદ્ભાવના વૃધ્ધાશ્રમ ખાતે આજે વધુ ૧૦૦ વડીલોને કોરોના વેકસીન આપવામાં આવી

૧પથી વધુ જૈન મહાસતિજીઓએ વેકસીન લઇ અન્ય લોકોને વેકસીન લેવા પ્રેરણા આપી

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી સદ્ભાવના વૃધ્ધાશ્રમ ખાતે શરૂ કરવામાં આવેલ વેકસીનેશન દરમ્યાન આજે તા. ર૪-૩-ર૦ર૧ ના રોજ ૧૦૦ થી વધુ વડીલોને વેકસીન આપવામાં આવી તેમજ આજે પણ જૈન સમાજના ૧પ થી વધુ મહાસતિજીઓએ કોરોના સામેની વેકસીન લઇ અન્ય લોકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી હતી. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:11 pm IST)