Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વોર્ડ નં. ૧૧ના મતદારોની સેવા માટે પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ હંમેશ તત્પર

ગમે ત્યારે જરૂર પડે તો મો. ૯૮૨૪૨ ૦૦૦૭૧માં ફોન કરવા અનુરોધ

રાજકોટ, તા. ૨૪ :. શાસ્ત્રીનગર સોસાયટી 'અજમેરા'ના વર્તમાન પ્રમુખ તેમજ વોર્ડ નં. ૧૧ના ભૂ.પૂ. કોર્પોરેટરશ્રી ઘનશ્યામસિંહ એ. જાડેજા દ્વારા જણાવવામાં આવેલ છે. ગત ટર્મમાં કોર્પોરેટરના સમયગાળામાં વોર્ડ નં. ૧૧માં ઘણો બધો વિકાસ થયેલ છે અને આ સમયગાળામાં વોર્ડ નં. ૧૧ના પ્રજાજનોના પ્રશ્નોના ઉકેલ પણ લાવવામાં આવેલ હતા.

પરંતુ આ વખતે ચૂંટણીમાં કોર્પોરેટરની રેસમાં ઉમેદવારી નોંધાવી ન હતી કેમ કે સત્તાનો મોહ નથી ત્યારે વોર્ડ નં. ૧૧ના જે પ્રજાજનોએ ગત ટર્મમાં વિશ્વાસ મુકીને સફળ બનાવેલ તે પ્રજાજનો પ્રત્યેની કામગીરી બંધ કરેલ નથી. તેમનુ ઋણ ચુકવવા માટે સદાયે તૈયાર છું.

આથી વોર્ડ નં. ૧૧ના સર્વે પ્રજાજનોને કયાંય પણ જરૂર પડે તો નિઃસંકોચ રૂબરૂ મળવા અથવા મોબાઈલ નં. ૯૮૨૪૨ ૦૦૦૭૧ ઉપર ફોન કરવો. તમારી સમસ્યા ઉકેલવા તત્પર રહીશ અને પ્રજાલક્ષી કાર્ય કરતો રહીશ તેમ અંતમાં શ્રી જાડેજાએ જણાવ્યુ છે.

(4:10 pm IST)