Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

માતા-પિતા ઘઉં લેવા ગયા ને કોલેજીયન દિકરીએ ફાંસો ખાઇ મોત મેળવી લીધું

હરિ ધવા રોડ મિનાક્ષી સોસાયટીમાં બનાવઃ ૧૯ વર્ષની કિરણ પહેલા વર્ષમાં અભ્યાસ કરતી'તીઃ કારણ અકળઃ ગોસ્વામી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ર૪ : હરિધવા રોડ, સુભાષનગર પાસે મીનાક્ષી સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હરીધવા રોડ, સુભાષનગર પાસે મીનાક્ષી સોસાયટીમાં રહેતા અને કુંડલીયા કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી કિરણ મનોજગીરી ગોસ્વામી (ઉ.૧૯) સવારે પોતાના ઘરે હતી. અને તેના માતા-પિતા ઘઉં લેવા માટે ગયા હતા. ત્યારે કોલેજીયન યુવતીએ ઉપરના રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા-પિતા ઘરે આવ્યા ત્યારે ઉપરના રૂમમાં પુત્રીને લટકતી હાલતમાં જોઇ દેકારો બોલાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ના તબીબે તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એ.એસ. આઇ.ભરતસિંહ સોલંકી સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે મૃતક કિરણ એકભાઇ અને એક બહેનમાં મોટી હતી તેના પિતા રીક્ષા ચલાવે છે. તે કુંડલીયા કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)