Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

'અકિલા'માં કોરોનાં ગાઇડલાઇનનું ચુસ્ત પાલન : મુલાકાતીઓ માટે માસ્ક ફરજીયાત

રાજકોટ :  કોરોનાં મહામારીથી બચવા માસ્ક અને સેનીટાઇઝેશનએ હાથ પગ અને સૌથી અસરકારક હથિયાર છે. ત્યારે ''અકિલા'' કાર્યાલયમાં આ બાબતોને પુરી ગંભીરતાથી અપનાવી છે. જયારે દેશમાં કોરોનાના બે થી ત્રણ કેસ હતા તે વખતથી એટલે કે જાન્યુઆરી ર૦ર૦ થી 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનાં માર્ગદર્શન હેઠળ અકિલા કાર્યાલયમાં કોરોના સંદર્ભની 'ગાઇડ લાઇન'નું ચુસ્ત પાલન શરૂ કરી દેવાયેલ, જેનો આજે પણ ચુસ્ત અમલ થઇ રહ્યો છે. જે તસ્વીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે. આજે ''અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવેલા. પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, મેયર પ્રદિપ ડવ,  સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ શહેર પ્રમુખ કમલેશ મીરાણી વગેરે તથા ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ''માસ્ક'' પહેરી રહેલા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:26 pm IST)