Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટ બ્રહ્મ સમાજના સિનીયર સીટીઝન દિલીપભાઇ વ્યાસે કોરોના વેકસીન લીધી

રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાન ૬૭ વર્ષીય ભુદેવ દિલીપભાઇ અંબાલાલભાઇ વ્યાસે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. દિલીપભાઇ વ્યાસે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતવાસીઓના સ્વાસ્થની ચિંતા કરતા કોરોના મહામારી સામે સુરક્ષિત થવા માટે કોરોના રસીકરણનો દેશ વ્યાપી અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે શ્રી મોદીએ નાગરિકોને કોરોનાની રસી લેવા કરેલ અપીલથી પ્રેરાઇ અને દિલીપભાઇએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.  તેમણે વધુમાં જણાવેલ કે આ વેકસીનથી કોઇ પ્રકારની આડ અસર થતી નથી માટે લોકો એ કોઇપણ પ્રકારની અફવામાં દોરાયા વગર સ્વેચ્છીક કોરોનાની રસી લેવી જોઇએ આ વેકસીન લેતી વેળાએ દિલીપભાઇના પુત્ર શ્રેયાંક વ્યાસ હાજર રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:43 am IST)