Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાજકોટની યાત્રાળુ બસને નાસીક -સીનર પાસે અટકાવી

ત્રણ-ત્રણ રાજયોમાં લોકડાઉનને કારણે બસને અટકાવવામાં આવેલ : ગોવિંદભાઇ પટેલે સતત સહાય કરી

નાસીકથી ૨૦ કી.મી. સીનર ટોલનાકા પાસે રાજકોટની બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની યાત્રાળુ બસને અટકાવવામાં આવી છે. જયોતિલીંગના દર્શન કરી યાત્રાળુઓ રાજકોટ પરત ફરી રહયા હત . ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલનો સંપર્ક કરવામાં આવી રહયો છે. ટ્રાફીક જામ થયાના પણ અહેવાલ મળે છે. (કાર્તિક બાવીશી-વલસાડ દ્વારા) આવી ત્રણ બસો અટકાવી છે. દરમિયાન શ્રી ગોવિંદભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે છેલ્લા ત્રણ દિવસમાં તામીલનાડુ-કર્ણાટક અને મહારાષ્ટ્ર (સીનોર-નાસીક) એમ ત્રણ રાજયોમાં બસને અટકાવી હતી. અને બધી વ્યવસ્થા કરી આપી છે. બસો રાજકોટ આવવા નિકળી ગઇ છે.

(5:32 pm IST)