Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૩૧ માર્ચ સુધી લોકડાઉન : તકેદારી રાખવા સુચના

રાજકોટ, તા. ર૪ : કોરોના વાયરસને પગલે ગુજરાત લોકડાઉન થયું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ૩૧ માર્ચ સુધી લોકડાઉન રહેશે.

યુનિવર્સિટી સ્થિત વિવિધ વિભાગો, ભવનો, સેન્ટર્સ/ ચેર્સ/ હોસ્ટેલની શૈક્ષણિક/ વહીવટી/ સંશોધન તમામ કામગીરી સદંતર બંધ રાખવાની રહેશે. ઉપર્યુકત સમયગાળા દરમ્યાન શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફ એ યુનિવર્સિટી ખાતે આવવાનું ટાળવા તથા પોતાના રહેઠાણોમાં રહી કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવા સલાહ આપવામાં આવે છે.  તમામ સ્ટાફે ફરજ પરનું મુખ્ય મથક છોડવાનું રહેશે નહિ. જયારે પણ સરકારશ્રી યુનિવર્સિટીને સ્ટાફની આવશ્યકતા પડે અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ફરજ સોંપવામાં આવે તે ફરજ બિનચૂક બજાવવાની રહેશે. તેવી  કુલપતિએ એક પરિપત્ર દ્વારા જાણ કરી છે.

(3:56 pm IST)