Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રામધણ આશ્રમ (મવડી)માં ભુપત બોરીચા દ્વારા જરૂરીયાતમંદોને નાસ્તાનું વિતરણ

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજકોટ શહેરમાં રામધણ આશ્રમ (મવડી) પ્રસાદનું વિતરણ ચાલુ છે જે લોકો રોજનુ લઇ રોજ ખાય, જે મજૂર લોકો છે જેના બાળકો એકટાણુ ખાધા વિના સુય જાય છે તેવા લોકો ને જયાં સુધી લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી રાજકોટ શહેરમાં જરૂરીયાત માણસો સુધી પ્રસાદ પહોંચાડાય છે.  જે કોઇ મજૂર અથવા જરૂરીયાત મંદ વ્યકિત હોય તેઓને સ્થળ ઉપર નાસ્તો પહોંચાડવાની અનેરી સેવા ભુપતભાઇ બોરીચા સહિતનાં સેવકો બજાવી રહ્યા છે તે તસ્વીરમાં દર્શાય છે. નાસ્તો મેળવવા માટે મો. ૯૭ર૪૯ ૧૧૧૧૯ તથા મો. ૮૦૦૦પ ૪૦૦૦૯  આ બે નંબરમાં વોટસેપ કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:53 pm IST)