Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

તમામ વોર્ડના શકિત કેન્દ્રો પર કાલે વડાપ્રધાનનો 'મન કી બાત'નો કાર્યક્રમ

રાજકોટ તા. ર૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડની યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે તા. રપના રવિવારે સવારે ૧૧ કલાકે શહેરના તમામ વોર્ડના તમામે તમામ શકિત કેન્દ્રો પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો 'મન કી બાત'નો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે. પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 'મન કી બાત' દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે. 'મન કી બાત'નું આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્કો પર પ્રસારિત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યૂ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે અનુરોધ કરેલ છે. (૭.૪ર)

(4:48 pm IST)