Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જૈન વિઝન દ્વારા ૫૦૦ સાધર્મિક પરિવારોને જીવન ઉપયોગી ચીજ વસ્તુઓનું વિતરણ

રાજકોટ : કરૂણા સાગર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત  'જૈન વિઝન' સંસ્થા દ્વારા આજરોજવિશાશ્રીમાળીની વાડી કરણપરા ખાતે ૫૦૦ ઉપરાંત સાધર્મિક જરૂરિયાતમંદ પરિવારોને જીવન ઉપયોગી ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ શુભ અવસરે આચાર્ય ભગવંત પૂ. યશોવિજયજી મ.સા. એવમ અજરામર સંપ્રદાયના સાધ્વીરત્ના પૂ. કમલપ્રભાજી મ.સ. ઉપસ્થિત રહી જૈન વિઝન ટીમને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જનના સદકાર્યો કરવા બદલ સાધુવાદ પાઠવેલ પૂ. ગુરુ ભગવંતે ફરમાવ્યું કે મળેલ સંપત્ત્િ।નો શકિતનો સમયનો સધ્પયોગ કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી માનવભવને સફળ બનાવજો. આ પાવન પ્રસંગે ગોંડલ નવાગઢ સંઘના પ્રવીણભાઈ કોઠારી અધિક કલેકટર હર્ષદભાઈ વોરા સોનમ કલોકના દિપાબેન જયેશભાઇ શાહ આર્કેડીયા શેરના સુનિલભાઈ શાહ અમીનેશભાઈ રૂપાણી દામીનીબેન કામદાર અરુણાબેન મણિયાર જયવંતભાઈ મહેતા જીતુભાઇ મારવાડી ગીરીશભાઈ મહેતા અનિશભાઈ વાધર મધુભાઈ ખંધાર કૌશિક વિરાણી નિલેશ કોઠારી જતીનભાઈ મોવાણી નવનીતભાઈ દોશી તથા દાતાઓના સૌજન્યથીઅમૂલનું ૧કિલો શુદ્ઘ દ્યી રાઈસ બ્રાન તેલ ૧કિલો સુરજ બેસન ૧ કિલો મધુર ખાંડ ૧ કિલો, પારસમણી ગોળ ૧ કિલો અને આવવા જવાનો ખર્ચ ૫૦જીખ. આપેલ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાયેલ હતોસમગ્ર સાધર્મિક કાર્યક્રમનું સુંદર સંચાલન મનોજભાઈ ડેલીવાળાએ કરેલઆભાર વિધિ ગૌરવ દોશીએ કરેલ હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના ૧૫૦ થી વધારે ભાઈઓ - બહેનોએ જહેમત ઉઠાવેલ.(૩૭.૧૮)

(4:17 pm IST)