Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બ્રહ્માકુમારીઝ દ્વારા પીડીએમ કોલેજમાં ૮ મીએ બ્ર.કુ. શિવાનીજી અને સુરેશ ઓબેરોયનું વકતવ્ય

રાજકોટ તા. ૨૪ : બ્રહ્માકુમારીઝ દ્વારા આગામી તા. ૮ એપ્રિલના રાજયોગીની બ્રહ્માકુમારી શિવાની તેમજ બોલીવુડ અભિનેતા સુરેશ ઓબેરોયની ઉપસ્થિતમાં એક વકતવ્યના ત્રણ કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. પ્રમુખ સ્વામી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, ખાતે યોજાનાર આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન હાલ ફુલ થઇ ચુકયુ છે. તેમ છતા આજ દિવસે સવારે ૬ થી ૮ પીડીએમ કોલેજ મેદાન, ગોંડલ રોડ ખાતે પણ સમાંતર કાર્યક્રમ હોય તેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યુ છે. WWW.rajkot.bk.ooo/pdmregistration વેબસાઇટ ઉપર વિઝીટ કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા અથવા મો.૯૭૧૪૯ ૧૭૪૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૩)

(4:15 pm IST)