Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પોપટપરા કવાર્ટરમાં પારૂલબેન જાદવને જેલના ફોજદાર પતિનો ત્રાસ

'તુમને ગમતી નથી', 'મારા પિતાએ પરાણે લગ્ન કરાવી જીંદગી બગાડી છે' કહી મહિલાને મારકુટ

રાજકોટ તા.ર૪ : પોપટપરા જેલ કવાર્ટરમાં રહેતી મહિલાને 'ગુ ગમતી નથી મારા પિતાએ પરણે લગ્ન કરાવી જીંદગી બગાડી છ' કહી જેલના ફોજદાર પતિ ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરા જેલ કવાર્ટર નં.૧૦માં રહેતા પારૂલબેન કિરણકુમાર જાદવ (ઉ.૪૦) એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પતિ કિરણ ખોડુભાઇ જાદવ (ઉ.૪૦) નું નામ  આપ્યું છે  પારૂલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના લગ્ન બાદ તેને સંતાનમાં એક પૂત્ર અને એક પુત્રીની પ્રાપ્તી થઇ હતી. પતિ મધ્યસ્થ જેલમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. તે છેલ્લા ૧૪ વર્ષથી અવાર નવાર 'તુ મને ગમતી નથી' મારા પિતાએ પરાણે લગ્ન કરાવી મારી જીંદગી બગાડી છે' તેમ કહી મારકુટ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હોઇ તેથી આ ત્રાસથી કંટાળી પોતે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા તથા રાઇટર આનંદભાઇએ પારૂલબેનની ફરીયાદ પરથી પી.એસ.આઇ. કિરણ જાદવ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તપાસ મહિલા પોલીસમાં સોંપવામાં આવી છે.(૬.૨૧)

(4:04 pm IST)