Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કિશોરભાઈ કોરડીયાનું જીવતું જગતીયું: પાંજરાપોળને ૧૦ લાખનો ચેક અર્પણ

રાજકોટ, તા.૨૪: તાજેતરમાં શ્રમજીવી દેરાસર ખાતે જૈન અગ્રણીઓની એક મીટીંગ મળી હતી. આ સભામાં જીવદયા પ્રેમી શ્રીકિશોરભાઈ કોરડીયાએ 'ચેરીટી બીગેન ફ્રોમ હોમ' કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાની બચત મરણ મૂડીમાંથી ૧૦ લાખ રૂ.નું અનુદાન કરી ચેક પાંજરાપોળના ટ્રસ્ટીગણને અર્પણ કર્યો હતો.

આ સભામાં ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, પૂર્વ ટાઉન પ્લાનર બકુલભાઈ રૂપાણી, રાજકોટ મહાજન પાંજરાપોળના મુકેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, મહેન્દ્રભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, અરૂણભાઈ દોશી, સંજયભાઈ મહેતા, સાંજ સમાચારના કરણભાઈ શાહ, ચેનતભાઈ મહેતા, રાજુભાઈ, મહેન્દ્રભાઈ શાહ, મિતલભાઈ ખેતાણી, વિનોદભાઈ કોરડીયા, કે.સી.શાહ, અરવિંદભાઈ શાહ, ગિરીશભાઈ શાહ, ખીમાણીભાઈ, પ્રકાશભાઈ દોશી, દિનેશભાઈ વોરા, વિ.ઉપસ્થિત રહયા હતા. આ તકે સુમનલાલ કામદારે સિંધી સમાજના સાધુ વાસવાણીજીનો જીવદયા પ્રેમ, માંસાહાર ન કરવા સંબંધીત આપેલા સંસ્કારો તેમજ ગોંડલ ભગવતસિંહજીના જીવદયા પ્રેમના ઉદાહરણો આપ્યા હતા.(૩૦.૧૧)

(4:03 pm IST)