Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

રાજકોટ - બેંગલોર ફલાઇટનો પ્રારંભ

બેગલોરથી આવવામાં ૧૨૫ તો જવામાં પણ ૧૨૫ મુસાફરો : જબરો પ્રતિસાદ : બપોરે ૨ાા વાગ્યે આવી ૩ વાગ્યે રવાના : ૧લી માર્ચથી રાજકોટ - હૈદ્રાબાદ ફલાઇટ

રાજકોટ તા. ૨૪ : મુંબઇ - દિલ્હી માટે રાજકોટથી દરરોજ ફલાઇટ ઉડાડતી સ્પાઇસ જેટે આજથી રાજકોટ બેગલોર વચ્ચે વધુ એક નવી ફલાઇટ મુકી છે.

સ્પાઇસ જેટના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, બેગલોરથી ૧૨૫ મુસાફરો સાથેનું વિમાન બપોરે ૨ાા વાગ્યે રાજકોટ આવી પહોંચ્યું હતું અને રાજકોટથી બપોરે ૩ વાગ્યે ૧૨૫ મુસાફરો સાથે રવાના થયું હતું, કુલ ૧૪૪ સીટર આ પ્લેનને ઉડ્ડયનને પ્રથમ દિવસે જ સારી સફળતા મળી છે, હવે ૧લી માર્ચથી સ્પાઇસ જેટ રાજકોટ - હૈદ્રાબાદ વચ્ચે ૭૦ સીટર ફલાઇટ શરૂ કરી રહ્યું છે, તેનો મોટે ભાગે સમય સવારનો રહેશે, જે ૧ થી ૨ દિવસમાં ફાઇનલ થઇ જશે.

(3:58 pm IST)