Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

યુનિવર્સિટી રોડ વિસ્તારના ઝૂપડાધારકોને દબાણો હટાવવા નોટીસ : અસરગ્રસ્તો દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૦માં આવેલ શાંતિનગર મફતીયાપરા, યુનિવર્સિટી રોડ વિસ્તારના ૬૦ જેટલા ઝુપડાધારકોને મ્યુ.કોર્પોરેશનના ટાઉન પ્લાની વિભાગ દ્વારા કાચા - પાકા મકાનો - ઝૂંપડાઓ હટાવવા નોટીસ પાઠવવામાં આવતા ઝૂંપડાધારકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અસરગ્રસ્તો દ્વારા આજે બપોરે ચાર કલાકે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલને આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી. તસ્વીરમાં અસરગ્રસ્તો નજરે પડે છે.

(4:02 pm IST)