Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સમુહલગ્ન સંપન્નઃ ૪૦ યુગલોના પ્રભુતામાં પગલા

રાજકોટ : સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં સ્વ. શૈલેષ રાદડીયા મેમો. ટ્રસ્ટ દ્વારા તથા કોર્પોરેટર મુકેશ રાદડીયા દ્વારા ઉપલા કાંઠે ગ્રીન લેન્ડ ચોકડી ખાતે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિ ૪૦ નવદંપતિએ સર્વધર્મ સમુહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડયા હતાં. સમુહ લગ્નમાં ૩૭ હિન્દુ અને ૩ મુસ્લીમ નવ યુગલોએ જીવનની નવી શરૂઆત કરી હતી.  સમુહ લગ્નને સફળ બનાવવા કોર્પોરેટર મુકેશ રાદડીયાની સાથે રવિ રાતોજા, દીપેશ વૈશ્નવ, હિતેષભાઇ બોરીચા, સંજયભાઇ હીરાણી, મગનભાઇ પીપળીયા, નાગજીભાઇ રાદડીયા, સંજયભાઇ ગઢવી, દેવાંગ કુકાવા એ જહેમત ઉઠાવી હતી. આ સમુહ લગ્નમાં નવદંપતિઓને આશીર્વાદ આપવા ગુજરાત  રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ-૬૮ ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, સહકારી આગેવાન વિજય સખીયા, ખોડીયારધામ આશ્રમ કાગદડીયના મહંત શ્રી જયરામદાસ બાપુ ગુજરાત રાજય કોળી સમાજના પ્રમુખ કાળુભાઇ ડાભી, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ દોમડીયા ઉદ્યોગપતિ સુરેશભાઇ રૈયાણી, ડીસ્ટીકટ બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, પ્રવિણભાઇ રૈયાણી, ઘનશ્યામભાઇ કુગશીયા, વલ્લભભાઇ દૂધાત્રા, વિનુભાઇ ધવા, રમેશભાઇ પરમાર, કોર્પોરેટર સજુબેન રબારી, દેવુબેન જાદવ, પ્રિતીબેન પનારા, પરેશભાઇ પીપળીયા, ધરમશીભાઇ નાથાણી, ગોરધનભાઇ કાપડીયા, સામતભાઇ આડેદરા, લાલાભાઇ બાપોદરા સહિતના આગેવાનો અને ઉદ્યોગપતિ તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.  આ સમુહ લગ્નનો ઉદ્રેશ્ય સમાજના આર્થીક રીતે નબળા વર્ગના લોકોને મદદરૂપ થવાનો હતો અને સૌરાષ્ટ્રના ધુરંધર ખેડૂત નેતા સ્વ. વિઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો હતો. આ સમુહ લગ્નમાં નવદંપતિઓને કરીયાવરમાં સોના-ચાંદી તથા ઘર વપરાશની સઘળી વસ્તુઓ આપવામાં આવી હતી.

(4:44 pm IST)