Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સ્વ. પાંચાભાઇ શામજીભાઇની પૂણ્યતિથિએ રકતદાન સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટઃ સ્વ. પંચાભાઇ શામજીભાઇની ૧૩મી પૂણ્યતિથિએ મહા રકતદાન કેમ્પ અને સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં ર૦ર૧ બોટલનું રકત એકત્ર થયેલ પ.પૂ. અપૂર્વમુની સ્વામી ગ્ભ્ભ્લ્ મંદિર કાલાવ રોડના હસ્તે આ કેમ્પનું ઉદઘાટન થયેલ નામદાર ઠાકોર શ્રી માંધાતાસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઇ પટેલ ગોવિંદભાઇ ધારાસભ્ય, લાખાભાઇ સાગઠીયા ધારાસભ્ય, ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળા, ચેતનભાઇ રામાણી, જગતસિંહ જાડેજા, શંભુભાઇ પરસાણા, જયેશ ઉપાધ્યાય, ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ ટાંક, વી.પી.વૈષ્નવ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભીખાભાઇ વસોયા, ડેપ્યુટી મેયર, અશ્વિનભાઇ મોલીયા, કોર્પોરેટર નિતીનભાઇ રામાણી,, શૈલેષભાઇ ડાંગર, એસજીવીપી  રીબડા, ગુરૂકુળથી સ્વામીશ્રી ધર્મવત્સલ સ્વામી હાજર રહ્યા હતા. ડોકટરો ડો.હાપાણી, એમ.વી.વેકરીયા, મધુકાંત પીપળીયા, સંદિપભાઇ ટીલાળા, સ્ટર્લીંગ હોસ્પીટલ, પર્લ વુમન્સ હોસ્પીટલના તમામ ડોકટરો હાજર રહ્યા હતા. માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ભરતભાઇ ગાજીપરા, સર્વોદય સ્કુલ, ડી.કે.વાડોદરીયા, પંચશીલ સ્કુલ, પુષ્કરભાઇ રાવલ, તપોવન સ્કુલના ટ્રસ્ટીશ્રીઓ પણ હાજરી આપેલ. જેન્તીભાઇ સરધારા, મનસુખભાઇ વસોયા પણ હાજર રહ્યા હતા. આ બ્લડ કેમ્પમાં મવડી-રાજકોટ તથા આજુબાજુના દરેક વિસ્તારના રકતદાતાશ્રીઓનો સહયોગ રહ્યો હતો.

(4:38 pm IST)