Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

રાજકોટઃ વિઠ્ઠલભાઇ બાબુભાઇ ભાદાણી સુરત, જેન્તીભાઇ ધનજીભાઇ લાખાણી, સુરત તથા રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ સયુંકત ઉપક્રમે  રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતિયા વિહિન કરવાનાં અશ્વમેધ સંકલ્પ પૈકી ૧૨મો સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૯૨ દર્દીઓ ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીને રહેવા, જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો , દવા ટીપાં, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા. ઓપરેશન થયેલ દરેક દર્દીને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(4:33 pm IST)