Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સરકાર દ્વારા પ્રજાલક્ષી વિકાસકાર્યો થકી પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ નીતિનભાઇ

રાજ્યના નંબર વન જન સેવા કેન્દ્રનું કલેકટર કચેરીરમાં લોકાર્પણઃ આજથી જ શરૃઃ ૧૭ કાઉન્ટર -આધારકાર્ડ -ઝેરોક્ષ સેન્ટર : વિશ્વ વિક્રમ સજાર્યોઃ ૪૦૫૭૩ કાગળથી બેનલો ફલેગ ઓફ યુનિટી-ત્રિરંગાનું અનાવરણઃ કલેકટરને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી

રાજકોટ,તા.૨૪ :પ્રજાસત્ત્।ાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજકોટની કલેકટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ અને જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા 'ઓરેગામી'માંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ 'ફલેગ ઓફ યુનિટી'નું અનાવરણ કરાયું હતું.આ અંગે રાજકોટ કલેકટરે વિશ્વ વિક્રમ સજાર્યો હોય નીતિનભાઇએ કલેકટર ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલએ પ્રજાસત્ત્।ાક પર્વની રાજકોટવાસીઓને અભિનંદ પાઠવી જણાવ્યું હતું કે, અમારી સરકાર પ્રજાલક્ષી વિકાસકામો કરી પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી કરી રહી છે. વિશિષ્ટ પ્રકારના હજારો કાગળથી બનેલ રાષ્ટ્રધ્વજને બનાવનાર કલાકાર() અને કલેકટરશ્રીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જનસેવા કેન્દ્રના ઉદદ્યાટન કર્યા બાદ તેની મુલાકાત લીધી હતી.

 નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગૌરવપૂર્વક કહ્યું કે પ્રજાના કામો ઝડપથી થાય તે માટે જન સુવિધા કેન્દ્ર ખૂબ ઉપયોગી રહેશે. પ્રજાની સત્ત્।ા હોય તે પ્રજાસત્ત્।ાક રાષ્ટ્ર છે. બંધારણમાં આપણે અનેક અધિકારો પ્રાપ્ત થયા છે. જેના દ્વારા સરળતાથી પ્રજાને તેમના હક્કો મળે છે. સમગ્ર રાજકોટવાસીઓ પ્રજાસત્ત્।ાક પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.

કલેકટરશ્રી રેમ્યા મોહને શાબ્દીક સ્વાગત બાદ જણાવ્યું હતુંઙ્ગકે,ઙ્ગસૌથી મોટું ફલેગ આપણે બનાવીને રેકોર્ડ માટેના પ્રયાસો થઇ રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટ અંતર્ગત જાપાનીઝ કલા ‘‘Origmi ’’ ના ઉપયોગથી ૪૦,૫૭૩ કાગળના ટૂકડાઓને ગુંદર કે પીન જેવા કોઇ પદાર્થ/ સાધનનો ઉપયોગ વગર જ એકબીજા સાથે જોડી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટનું નિર્માણ આર્ટિસ્ટશ્રી વિરાજકુમારી જાડેજાના પ્રતિનિધિત્વમાં કરવામાં આવેલ છે જેમણે અંદાજે ૪૨ હજાર જેટલા ટુકડાઓ સાંકળી કરાષ્ટ્રધ્વજનું નિર્માણ કરવામાં ૨૦૦ કલાક જેટલો સમયનું યોગદાન આપેલ છે. ‘‘Fiag of Unity’’ નું કદ ૯.૯૯ ફુટ* 66 ફુટ છે તેમજ તે ૧૨.૩૮૨ ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવે છે. આ અદ્વિતીય રાષ્ટ્રધ્વજના નિર્માણમાં શાળાના બાળકો, દિવ્યાંગ તેમજ મનો દિવ્યાંગ બાળકોથી લઇ, વિધવા બહેનો, NCC  કેડેટસ, CISF, પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારો, બ્રહમા કુમારીઝ વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઇઓ/ બહેનો મળી કુલ ૨૬ હાજર થી વધુ લોકોએ ૧૦૦૦ વધુ માનવ કલાકોની ભાગીદારી નોંધાવી છે. જે તેના નામે ‘‘Flag of Unity'' ને સાથે કરે છે. અને આપણા દેશની એકતા અને અખંડિતતાની ભાવનાને ઉજાગર કરે છે.

કલેકટરશ્રીએ વધુમા જણાવ્યુ હતું કે  સંપૂર્ણ વાતાનુકુલીત એવા નવનિર્મિત 'જનસેવા કેન્દ્ર' ખાતે વન-ડે ગવર્નન્સ (એક જ દિવસમાં ઉપલબ્ધ તમામ સેવાઓ) એક જ સ્થળેથી ઝડપથી મળી રહેશે. આ 'જનસેવા કેન્દ્ર' ખાતે અરજીઓનો  ૨૪ કલાકમાં ત્વરીત કાર્યવાહી સાથે નિકાલ કરવામાં આવશે. જેથી લોકોને જુદી જુદી મામલતદાર કચેરીઓએ જવું નહીં પડે. ૧૭ કાઉન્ટર અને આધારકાર્ડના ખાસ બે કાઉન્ટર સાથે કાર્યરત આ 'આધુનિક જનસેવા કેન્દ્ર' મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ વન-ડે ગવર્નન્સ ઉપરાંત અન્ય સેવાઓ જેવીકે ઇલેકશન સ્માર્ટકાર્ડ,ઙ્ગગામના નમુના નં.૭/૧૨,ઙ્ગ૮-અ ના ઉતારા,ઙ્ગઇ-સ્ટેમ્પીંગના દાખલાઓ કાઢી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાના બાળકો સાથે આવનાર મહિલાઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ખાસ ઙ્કબેબી કેરઙ્ખની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રમકડાંઓથી સુસજ્જ હશે.

આર્ટીસ્ટ વિરાજકુમારી જાડેજાનું નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન કરાયું નાયબ મુખ્યમંત્રીશ્રીએ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી. બાળકોએ દેશભકિતના સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ યોજનાના લાભાર્થીઓને નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિવિધ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા,મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી,મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય,ધારાસભ્યસર્વશ્રી ગોવિંદભાઇ પટેલ,લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી,અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી, કમલેશભાઇ મિરાણી, ડી.કે.સખિયા, રાજુભાઇ ધ્રુવ, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યા સહિતના અધિકારી, પદાધિકારી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(4:33 pm IST)