Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

વાહ રે ભાજપ : લગ્નમાં ૪૦૦, મરણમાં ૨૦૦ ને ભાજપના સ્નેહ મિલનમાં ૧૦ હજારની છુટ ? : ભટ્ટી-અનડકટ-સભાયા-મુંધવા

માસ્કનો દંડ ઘટાડી રૂ.૨૦૦ કરવા પણ કોંગ્રેસ અગ્રણીઓએ ઉઠાવી માંગણી

રાજકોટ તા. ૨૩ : પ્રદેશ ભાજપ નેતા સી.આર. પાટીલના સ્નેહ મિલનમાં આઠથી દશ હજાર ઉમટયાના દાવાઓને લઇને કોંગ્રેસ આગેવાનો સર્વશ્રી જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, ગોવિંદભાઇ સભાયા, રણજીત મુંધવાએ સંયુકત યાદીમાં ટકોર સાથે જણાવ્યુ છે કે જો ભાજપના સ્નેહ મિલનમાં આટલી મેદની તો લગ્નમાં ૪૦૦, મરણમાં ૨૦૦ ની મર્યાદા શા માટે?

ઉપરાંત માસ્કના દંડથી લોકો કંટાળી ગયા છે. જેથી દંડ ઘટાડી રૂ.૨૦૦ કરવા અંગે પણ કોંગ્રેસ આગેવાનોએ માંગણી મુકી છે.

તેઓએ જણાવ્યુ છે કે ભાજપ સરકાર પોતે જ બનાવેલી ગાઇડ લાઇનનો ઉલાળીયો કરે છે. ત્યારે માત્ર પબ્લીકને જ દંડવાનો શું મતલબ?  હાલના સમયમાં કોરોના પણ હારી ગયો છે. કેસો નહીવત થઇ ગયા છે. ત્યારે માસ્કના નામે છેલ્લા ર વર્ષથી ઉઘરાવાતા રૂ.૧૦૦૦ નો દંડ અસહ્ય છે. હવે ઘટાડી રૂ.૨૦૦ કરવો જોઇએ. તેવુ ભાર પૂર્વક કોંગ્રેસ આગેવાનો શ્રી ભટ્ટી, શ્રી અનડકટ, શ્રી સભાયા, શ્રી મુંધવાએ જણાવ્યુ છે.

(3:33 pm IST)