Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામજોધપુર પંથકના દંપતિના અકસ્માત મૃત્યુના કેસમાં ૩૪ લાખનું વળતર મંજુર

રાજકોટ તા. ર૩ : જામજોધપુર પંથકના સદોદર ગામનાં પતિ-પત્નીનાં વાહન અકસ્માત મૃત્યુના કેસમાં રૂ.૩૪,૦૦,૦૦૦ નું જંગી વળતર મંજુર કરવાનો રાજકોટ ટ્રીબ્યુનલે હુકમ કરેલ હતો.

આ અંગેની હકીકત એવી છે કે જામજોધપર પંથકના સદોદર ગામમાં રહેતા. ગુજ.અરવિંદભાઇ અરજણભાઇ ઘાડીયા તથા ગુજ.અરવિંદાબેન અરવિંદભાઇ ઘાડીયા તા.રપ/૧/ર૦૧૬ ના રોજ બન્ને પતિ-પત્ની મો.સા.ઉપર જતાં હતા ત્યારે ટ્રકના ચાલકે તેઓને હડફેટે લેતા, તેઓનું અકસ્માતવાળી ઇજાઓનાં કારણે ઘટના સ્થળે મૃત્યુ થયેલ હોય, તેઓની કલેઇમ કેસો ચાલી જતા કોર્ટ દ્વારા વ્યાજ સહીત રૂ.૩૪,૦૦,૦૦૦ નો હુકમ કરવામાં આવેલ.

ઉપરોકત કલેઇમમાં એડવોકેટ કલ્પેશ કે. વાઘેલા તથા ભાવીન આર.હદવાણી (પટેલ) દ્વારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા દલીલ રજુ કરતાં કોર્ટ દ્વારા ગુજરનારની ભવીષ્યની આવક ધ્યાને લઇ ઉપરોકત રકમ મંજુર કરવામાં આવેલ આ ઉપરાંત કોરોના કાળમાં કોર્ટની કાર્યવાહી આશરે દોઢ વર્ષ બંધ રહેલ છતાં પણ ખુબ જ ટુંકા સમયગાળામાં એટલે કે માત્ર ત્રણ વર્ષ અને છ માસના ટુંકા ગાળામાં જંગી વળતર મંજુર કરાવવામાં આવેલ છે.

આ કામમાં ગુજરનારના વારસદાર તરફથી રાજકોટના વકીલ કલ્પેશ કે.વાઘેલા, ભાવિન આર.પટેલ, અર્જુન ડી.કારીયા (ગઢવી) તથા શ્રદ્ધાં અકબરી (પટેલ) રોકાયેલ હતા.

(2:31 pm IST)