Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સાધવી રત્ના શ્રી મિનલભાઇ મહાસતીજી ૨૧ નવેં.ના રોજ કાળધર્મ પામ્યા

શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન રાજકોટના આંગણે ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી અને પૂજ્યવરા મુકત લીલમ સન્મતિ ગુરૂણીના સુશિષ્યા સાધ્વી રત્ની શ્રી મિનલભાઇ મહાસતીજી ૨૧-૧૧-૨૦૧૯ ગુરૂવારે સવારે ૧૧:૨૦ મિનિટે આજીવન સંથારાના પચ્ચખાણ ગુજરાત રત્ની શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ અને શ્રી પ્રભાબાઇ મહાસતીજી આદિના સાંનિધ્યે આપવામાં આવતા ૧૧:૩૭ મીનીટે નવકાર મંત્રના સ્મરણ સાથે કાળધર્મ પામેલ છે. યોગાનુયોગ ગુરૂણી મૈયા શ્રી સન્મતિ બાઇ મહાસતીજીને પણ શ્રી ઉવસ્સગહરં સાધના ભવનમાં સંથારો આપવામાં આવેલ. સંથારા વિધિ અવસરે શ્રી પ્રવીણભાઇ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત હતા.

છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમનો સમાધિ ભાવ શ્રેષ્ઠ હતો. તેમણે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પાસે સંથારાની ભાવના વારંવાર રજુ કરેલ. આજે કોલકાતાથી વિહાર સમયે પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આજ્ઞા ફરમાવતા એમને ૧૧.૨૦ મિનિટે સંથારો કરાવવામાં આવેલ તેમની પાલખીયાત્રા ૨૧-૧૧-૨૦૧૯ સાંજે ૪-૩૦ કલાકે ઉવસ્સગહરં સાધનાભવનથી પ્રયાણ કરી તપસમ્રાટ તીર્થધામ (૭, હનુમાન સામે, કુવાડવા રોડ) ખાતે લઇ જવામાં આવેલ તેમની ગુણાનુવાદ સભા શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે ઉવસ્સગહરં સાધનાભવન (આફ્રિકા કોલોની શેરી નં.૪, પાણીના ટાંકાવાલી ગલી) ખાતે યોજાઇ હતી. તેવું શ્રી નિરવ અજમેરાની યાદી જણાવે છે. 

(8:05 pm IST)