Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ગાંધીગ્રામમાં મોચી વૃધ્ધા નિર્મળાબેન સોલંકીનો બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી આપઘાત

રાજકોટ તા. ૨૩: ગાંધીગ્રામ ભારતીનગરમા-૧૧/૮ના ખુણે રહેતાં નિર્મળાબેન ચંદુભાઇ સોલંકી (ઉ.વ.૬૩) નામના મોચી વૃધ્ધાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ભારતીનગર મહાદેવ કોમ્યુનિકેશનની બાજુમાં રહેતાં નિર્મળાબેને સાંજે ચારેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ વી. સી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનારને સંતાનમાં બે પુત્ર છે. જે ફૂટવેરના કારીગર તરીકે કામ કરે છે. પુત્ર હિતેષભાઇના કહેવા મુજબ તેના માતા પિતા બિમાર રહેતાં હોઇ માતાને તેમની ચિંતા હતાં. વળી તેઓ પોતે પણ બિમાર રહેતાં હતા એ કારણે પણ કંટાળી ગયા હોવાથી આ પગલુ ભર્યુ હતું.

(11:56 am IST)