Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

વિમલનાથ જિનાલયે શેત્રુંજય ભાવ યાત્રા

વિમલનાથ સ્વામી દેરાસર ખાતે આ.ભ.પૂ. શ્રીમદ્ યશોવિજયસૂરિ મ.સા. ના  શિષ્યરત્નો દ્વારા સવારે ૬.૩૦ કલાકે પધારેલ. ગુરૂવંદના બાદ તેઓએ પરમાત્માની સાધના અને ચૈત્યવંદનકરેલ.જિનાલય ખાતે ૬ *૭ ફુટના શેત્રુંજય ભાવ યાત્રાનો ૧૯૦ શ્રાવક-શ્રાવીકાઓએ લાભ લીધો હતો. દરેકને રૂા ૫૦/- ની પ્રભાવના કોકીલાબેન ભરતભાઇ શાહ પરિવાર દ્વારા આપવામાં આવેલ. વિમલનાથ દાદા, આદેશ્વર દાદા , મુનિસુવ્રત દાદાના સોનાના ટીકાનો લાભ માલાબેન સુનીલભાઇ કોઠારી પરિવારે લીધો હતો. આ પ્રસંગ ેદર્ર્શીતાબેન શાહ, ભરતભાઇ મહેતા,(નાગેશ્વર તીર્થ) ડો. અમીનેષભાઇ ધ્રુવ (પંચવટી દેરાસર), સુનીલભાઇ કોઠારી, સહિતના સંઘોના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેલ તેમ વિપુલભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે

(2:59 pm IST)