Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

બિહારથી ચાર દિવસ પહેલા જ પેટીયુ રળવા આવેલા યુવાનનું મોત

ઢેબર રોડ ફાટક પાસે બિમારીથી બેભાન થઇ ગયો

રાજકોટ તા. ૨૩: ગોંડલ રોડ પર રાજકમલ પંપ પાછળ વિરાણી અઘાટમાં રહેતાં મુળ બિહારના રાજકિશોર રાવણભાઇ પાસવાન (ઉ.૩૦) સાંજે સાડા ચારેક વાગ્યે ઢેબર રોડ ટ્રાન્સપોર્ટ નગર ફાટક પાસે બેભન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ચાર પાંચ દિવસ પહેલા જ વતન બિહારથી મજૂરી કરવા આવ્યો હતો અને સગા સાથે રહેતો હતો. તેની તબિયત ખરાબ હોઇ અચાનક બેભાન થઇ પડી ગયાનું તેની સાથેના લોકોએ કહ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:57 pm IST)