Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

૧૯ મી ડીસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ઓન લાઇન-ઓફલાઇન યોજાશે

વિવિધ વિદ્યાશાખાના ૭૦ હજારથી વધુ છાત્રોને પદવી ઓનલાઇન થશે

રાજકોટ, તા., ૨૩: કોવીડ-૧૯ની સ્થિતિમાં હજુ શાળા-કોલેજો ઓન લાઇન ચાલે છે ત્યારે ૧૯મી ડીસેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પપ મો પદવીદાન સમારોહ યોજાયા છે.

કોરોનાનું સંક્રમણને ધ્યાને લઇ પપ મો પદવીદાન સમારોહ સાદગીપુર્વક ઉજવવામાં આવશે. પદવીદાન ઓન લાઇન અને ઓફ લાઇન બન્ને રીતે યોજાશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને થોડા આમંત્રીતો ઉપસ્થિત રહેશે. સરકારી માર્ગદર્શન મુજબ પદવીદાન સમારોહ યોજાશે.

કોરોનાની સ્થિતિમાં નવેમ્બર આખરમાં પરિસ્થિતિ જોઇને પદવીદાનનો આખરી નિર્ણય કરાશે. આ પદવીદાન સમારોહમાં ૭૦ હજારથી વધુ છાત્રોને પદવીદાન એનાયત થશે.

(4:05 pm IST)