Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૦૨માં એકતા રથયાત્રાઃ નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે ભાવાંજલિ સાથે પ્રારંભ

 રાજયમાં એકતા રથયાત્રાના પરિભ્રમણ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રા યોજવામાં આવેલ છે. જેના અનુસંધાને તા.૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૨માં એકતા રથયાત્રા કાર્યક્રમ યોજાયેલ. ભાવાંજલિ સાથે એકતા રથયાત્રાનો પ્રારંભ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે કરાયેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, પુર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મીરાણી, લીલાબા જાડેજા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, લલીતભાઈ વડારીયા(કાળુ મામા), લાલભાઈ પોપટ, સુરેશભાઈ પરમાર, રમાબેન હેરભા, પુષ્પાબેન કાચા, દેવ્યાનીબેન રાવલ, ભાવેશભાઈ ટોયટા, પૃથ્વીસિંહ વાળા, રાજુભાઈ ભાવસાર, રાજનભાઈ સિંદ્યવ વિગેરે બહોળી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાયા હતા.

(4:33 pm IST)