Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

શ્યામલ કુંજ સોસાયટી તેમજ આર્યશ્રી સોસાયટીમાં મેટલીંગ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૧માં આવેલ શ્યામલ કુંજ સોસાયટી તેમજ આર્યશ્રી સોસાયટીમાં રૂ.૭૩ લાખના ખર્ચે મેટલીંગ કામનું ખાતમુહુર્ત મેયર બિનાબેન આચાર્યના વરદ્ હસ્તે કરાયું. આ પ્રસંગે ધારસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, વોર્ડ નં.૧૧ પ્રમુખ પ્રવિણભાઈ પાદ્યડાર, મહામંત્રી સંજયભાઈ દવે, આ વિસ્તારના ભાજપ અગ્રણી મયુરીબેન ભાલારા, વિક્રમભાઈ વિઠ્ઠલાણી, ડો. જે. ડી. સાહેબ, કાનાભાઈ રાતડીયા, અરઝનભાઈ આહીર, વિશ્વ મલી વિગેરે બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:29 pm IST)