Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સરગમી હસાયરામાં હાસ્યરસના ફુવારા ઉડયાઃ કલાકારો ખીલ્યા

રાજકોટઃ સરગમ કલબ દ્વારા જાહેર જનતા માટે ચાલી રહેલા પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાયેલા સરગમી હસાયરામાં હાસ્યની છોળો ઉડી હતી અને હજારો લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો. સરગમ કલબ દ્વારા એચ.પી.રાજયગુરુ એન્ડ કુ. તથા વૈભવ જિનિંગ એન્ડ સ્પિનિંગ મિલના સંયુકત ઉપક્રમે યોજાયેલા હસાયરાના કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડેકોરા ગ્રુપના નીખિલભાઈ કણસાગરા, રોલેકસ રિંગ્સના મનીષભાઈ માદેકા, વૈભવ જીનિંગના રાજેનભાઈ લોટિયા, એચ.પી. રાજયગુરૂ કંપનીના હેતલભાઈ રાજયગુરુ, મારવાડી યુનિવર્સિટીના જીતુભાઇ ચંદારાણા, આદેશ ટ્રાવેલ્સના અનંતભાઈ ઉનડકટ, મુકેશભાઈ ગાજીપરા તેમજ પ્રતાપભાઈ પટેલ, પ્રવીણભાઈ ધોળકિયા, રાજેશભાઇ કાલરીયા વગેરે  ઉપસ્થિત રહ્યા હતા.

આ હસાયરામાં જાણીતા હાસ્ય કલાકારો સાઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા, ગુણવંતભાઈ ચુડાસમા અને સુખદેવ ધામેલીયાએ જુદા જુદા વ્યંગ દ્વારા હાસ્યના ફૂવ્વારા છોડ્યા હતા. 

    આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી, કિરીટ આડેસરા, રમેશભાઈ અકબરી, જયસુખભાઈ ડાભી, કૌશિક વ્યાસ, રાજેન્દ્ર શેઠ, પ્રવીણભાઈ તંતી, જગદીશ કીયાડા, ઉપરાંત લેડીઝ કલબના અલકાબેન કામદાર, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન રાવલ, જયશ્રીબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ,બીનાબેન પોપટ, પ્રતિભા મહેતા, અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)