Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

જૈન શાળાના બાળકો ફટાકડા નહિં ફોડે

અંહિંસા કરૂણાના સિધ્ધાંતને વરેલા રાજકોટના સ્થાનકવાસી સમાજના જૈન શાળાના બાળકોએ શ્રી વિરાણી વાડી ખાતે ''અહિંસા.. અભ્યદાન સંકલ્પ ગ્રહણ દ્વારા ફટાકડા બંધીના પચ્ચકખાણ પ.પૂ. કિરણબાઇ મહાસતીજીના સુશિષ્યા પૂ. મ. સતિજી આદિઠાણાઓની નિશ્રામાં ગ્રહણ કરી સર્વે જીવોને અભયદાન આપી સાથે સાથે પર્યાવરણની રક્ષા માટેનું પણ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.આ પ્રસંગે સંકલ્પ ગ્રહણ કરનાર તમામ બાળકોને વિવિધ ઇનામો આપી અનુમોદન કરવામાં આવી જેનો લાભ સ્વ. ચંદ્રમણિ મણિલાલ અમીચંદ શાહ પરિવાર (હસ્તે અભિજિત શાહ તથા નિલેશ શાહ) તેમજ નવનીતભાઇ દોશીએ લીધેલ બાળકોને સ્વરૂચિ ભોજન આપવાનો લાભ શ્રી પ્રમોદભાઇ ભુદરજીભાઇ હપાણી પરિવાર અને સંસ્કાર દાતા જૈન શાળાના શિક્ષિકા બહેનોના બહુમાનનો લાભ સ્વ. ભુદરજીભાઇ હપાણી પરિવાર (હસ્તડો.ે સુધાબેન  હપાણી) દ્વારા લેવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનુંપ.પૂ. મૂળવંતભાઇ દોમડીયા પ્રરિત શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ.

(3:22 pm IST)