Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજકોટ અને સુરતમાં નાર્કોટીકસના ગુનામાં ફરાર તોફીક સંધાર પકડાયો

માલવીયાનગર પોલીસે ખીજળાવાળા રોડ પરથી દબોચ્યો

રાજકોટ,તા. ૨૩: શહેરના માલવીયાનગર પોલીસ મથકના અને સુરતના કામરેજ પોલીસ મથકના નાર્કોટીકસના ગુનામાં નાસતા ફરતા શખ્સને માલવીયાનગર પોલીસે ખીજળાવાળ રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેેરના અલગ અલગ વિસ્તાર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, એમ.એસ.મહેશ્વરી તથા હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ કમલેશભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, કુલદીપભાઇ, હિતેષભાઇ, રઘુવીરસિંહ, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. રોહીતભાઇ અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે ખીજળા વાળા રોડ પરથી તોફીક મહંમદભાઇ સંધાર (ઉવ.૨૪) (રહે. રંંગઉપવન સોસાયટી રૈયા રોડ) ને પકડી લીધો હતો. તોફીક માલવીયાનગર પોલીસ મથકના અને સુરત કામરેજ પોલીસ મથકના નાર્કોટીકસના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર છે 

(3:32 pm IST)