Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભગીરથ સોસાયટીમાં બિમારીથી કંટાળી ૭૨ વર્ષના શાંતાબેન બાવળીયાનો સગળી જઇ આપઘાત

રાજકોટ તા. ૨૩: સામા કાંઠે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૬માં રહેતાં શાંતાબેન સવજીભાઇ બાવળીયા (કોળી) (ઉ.વ.૭૨) નામના વૃધ્ધાએ ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહે બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે. બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યાનું સ્વજનોએ કહ્યું હતું.

(12:43 pm IST)