Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં વાલી મીટીંગ

 મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, સદર બજાર ખાતે ધો. ૧૦ અને ૧ર ની વિદ્યાર્થીનીઓના વાલીઓની મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. મીટીંગમાં શાળાનો પરિચય, શિક્ષકોનો પરિચય તેમજ અનુભવ વગેરે માહિતી ઉવર્શીબેન ઉપાધ્યાયે રજુ કરી હતી તેમજ ધો. ૧૦ અને ૧ર ના બોર્ડના મહત્વના વર્ષમાં વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી તૈયારીમાં વાલીઓની ભૂમિકા શું છે તેનું માર્ગદર્શન ભરતભાઇ કગથરાએ આપેલ હતું. શાળાના વિઝન અને મિશન અંગે શાળાના આચાર્યશ્રી ભરતસિંહ પરમારે માહિતી પુરી પાડી હતી. મિટીંગના અંતમાં વાલીઓને મુંઝવતા પ્રશ્નો વિશે દરેક વિષય-શિક્ષકે માર્ગદર્શન આપ્યું હતું.

(4:02 pm IST)