Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પૂ.જયરામદાસબાપુના પ્રાગટયદિન નિમિતે મનિષાબા વાળા દ્વારા વૃક્ષારોપણ

રાજકોટઃ શ્રી ખોડિયારધામ આશ્રમ અને મારૂતિ ગૌશાળાના તપોનિષ્ટ સંત શિરોમણી ગુરૂદેવ મહંત શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જયરામાદાસબાપુ  ૫૪ વર્ષ પૂર્ણ કરીને ૫૫ વર્ષમાં પ્રવેશ કરતાં વૃક્ષારોપણ તથા સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાએલ. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા દ્વારા આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ. ઉલ્લેખનિય છે કે ખોડિયાર ધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુ દ્વારા કુંભમેળાના પદાયાત્રુ સંતો- મહંતો માટે મહાપ્રસાદ અને વિશ્રામની સેવા કરવામાં આવે છે. છેલ્લા ૧૫ વર્ષથી અવિરત દર શનિવારે હોમહવન પાઠ યોજાય છે. દર્શનાથે આવતા શ્રદ્ધાળુઓ માટે વાહનોની સગવડ કરી આપવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)