Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

જાગનાથ સંઘમાં પયૂર્ષણ પર્વની આરાધનાઃ દિનેશ પારેખ- નિધી ધોળકીયાનું ભકિત સંગીત

પૂ.યશોવિજયજી મ.સા.ના સાનિધ્યે

રાજકોટઃ જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આગામી તા.૨૬ સોમવાર થી તા.૨/૯ સુધી પર્યુષણ પર્વની આરાધના થશે. દરરોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦  તથા બપોરે ૨:૩૦ થી ૫ વ્યાખ્યાન રાખવામાં આવેલ છે.શ્રી ધર્મનાથજી જિનાયલમાં દરરોજ પરમાત્માને ૮ દિવસ અલગ અલગ આંગી રચવામાં આવશે તથા રાત્રે ૮:૩૦ થી ૧૦ ભવ્યાતિભવ્ય ભકિત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

ભકિતકારો દિનેશભાઈ પારેખ તથા નિધીબેન ધોળકીયા ભકિત ભાવમાં ભાંજવશે. સકલ સંઘને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે.

(3:34 pm IST)